નવી દિલ્હી: સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાન હાલ પોતાના નિવેદનોને લઈને ચારેબાજુથી ઘેરાયેલા છે. સદનમાં સાંસદ રમાદેવી પર કરેલી આપત્તિજનક ટિપ્પણી બાદ ભાજપ સહિત અનેક પક્ષોના સાંસદો સતત તેમને બરખાસ્ત કરવાની માગણી કરી રહ્યાં છે. આ સાથે જ રમા દેવી પાસે માફી માંગવાની પણ માગ કરી છે. પરંતુ અહીં તો બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝી આઝમ ખાનના સમર્થનમાં ઉતરી ગયા છે. 


જીતનરામ માંઝીએ આઝમખાનની વિવાદિત ટીપ્પણી પર તેમનું સમર્થન કર્યું છે અને કહ્યું છે કે આઝમ ખાને કોઈ પણ પ્રકારે વિવાદાસ્પદ વાત કરી નથી. તેમની વાતનો ખોટો અર્થ કાઢવામાં આવી રહ્યો છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...